Zakir Hussain’s secret marriage to rockstar dreams: 73 વર્ષની વયે જાણીતા તબલા ઉસ્તાદ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું અવસાન થયું. તેમના પરિવારે પુષ્ટિ કરી કે મૃત્યુનું કારણ ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ હતું, જે એક લાંબી ફેફસાની બિમારી હતી. પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતાના અવસાનથી સંગીત જગત શોકમાં ડૂબી ગયું અને વિશ્વભરના ચાહકો અને પ્રશંસકોએ શોક વ્યક્ત કર્યો. આજે હ્રદયપૂર્વકની શ્રદ્ધાંજલિમાં હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલના આધારે ઝાકિર હુસૈનના જીવનના ઓછા જાણીતા પાસાઓથી તમને અવગત કરાવીએ છીએ. જે સિમી ગરેવાલ સાથેના તેમના ઇન્ટરવ્યુ રેન્ડેઝવસમાં જાહેર કરવામાં આવ્યું હતું.
તેમના ટીનેજ રોક એન્ડ રોલ સપનાઃ
સિમી સાથેની વાતચીતમાં ઉસ્તાદ હુસૈને નિખાલસપણે શેર કર્યું કે તેમની શરૂઆતની આકાંક્ષાઓ તબલાથી દૂર હતી. કિશોરાવસ્થામાં તેમણે રોક એન્ડ રોલની દુનિયામાં પ્રસિધ્ધી અને નસીબનું સપનું જોયું. “હું એક રોક એન્ડ રોલ સ્ટાર બનવા માંગતો હતો, હું ગઈકાલે એક મિલિયન ડોલર કમાવવા માંગતો હતો. દરેક જણ તેમાં હતા. હું બોમ્બેની શેરીઓમાં મારા ખભા પર બૂમબોક્સ લઈને ડોર્સ અને બીટલ્સ અને વોટનોટ સાંભળતો ફરતો હતો. તેમની યુવાની મહત્વાકાંક્ષા પૈસા કમાવવા અને ઝડપથી પ્રસિધ્ધી મેળવવાની હતી. પરંતુ સંગીતની દુનિયાએ ટૂંક સમયમાં તેમને એક અલગ દિશામાં ઇશારો કર્યો.
પોતાના લગ્નને ગુપ્ત રાખ્યુંઃ
ઝાકિર હુસૈનના અંગત જીવનની પણ પોતાની આગવી સ્ટોરી હતી. ખાસ કરીને એન્ટોનિયા સાથેના તેમના લગ્નના સંબંધની વાત કરીએ તો તેઓ તેમને યુ.એસ.માં તેમની સંગીત કારકીર્દી દરમિયાન મળ્યા હતા. પ્રેમમાં પડવા છતાં, ઝાકિર હુસૈને તેમની માતાની મંજૂરી વિના તેની સાથે લગ્ન કર્યા. મારા પરિવારમાં આ પ્રથમ મિશ્ર લગ્ન હતા. તેથી મારા પિતા કરતાં વધુ મારી માતા સંમત નહોતી. અમે આ મુશ્કેલ સમય પસાર કર્યો હતો. તેના માટે (લગ્ન સ્વીકારવું) ખૂબ જ મુશ્કેલ હતું. જ્યાં સુધી હું પરિણીત ન હતો ત્યાં સુધી અમે તેને (અમારા લગ્ન વિશે) જણાવ્યું ન હતું.
તેણે આગળ સમજાવ્યું, “પરંતુ મારા પિતા ત્યાં હતા, તેમણે અમારી સાથે મુસ્લિમ વિધિથી લગ્ન કર્યા. પરંતુ નાગરિક સમારોહ, જે પ્રથમ હતો, કોઈને ખબર ન હતી. ઝાકિરે કહ્યું સમય જતાં મારી માતા એન્ટોનિયા સાથે સારૂ ફિલ થવા લાગ્યું અને પછી તો ભેટી પડી. છેવટે પરંપરાને બદલે વ્યક્તિના મહત્વને ઓળખીને બધુ થાળે પડ્યું.
પ્રાર્થનાને બદલે લયઃ
ઝાકિર હુસૈનના પિતા અને સુપ્રસિદ્ધ તબલાવાદક અલ્લા રખાએ તેમના પ્રારંભિક જીવન પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. મોટા ભાગના પિતાઓની જેમ પ્રાર્થના કરવાને બદલે, તેણે તેના નવજાત પુત્રના કાનમાં તબલાના લયને ગુંજાવવાનું પસંદ કર્યું.
ઝાકિર હુસૈન કહે છે, મને ઘરે લાવવામાં આવ્યો અને મારા પિતાને તેમના હાથમાં સોંપવામાં આવ્યો. પરંપરા એવી હતી કે પિતાએ બાળકના કાનમાં પ્રાર્થના સંભળાવી, બાળકનું સ્વાગત કરવું અને કેટલાક સારા શબ્દો મૂકવાના. તેથી તે મને તેની બાહોમાં લે છે. તેના હોઠ મારા કાન પાસે મૂકે છે અને મારા કાનમાં તબલાના તાલ સંભળાવે છે.”
આ ક્ષણ ઉસ્તાદ માટે નિર્ણાયક સ્મૃતિ બની ગઈ. જો કે મારી માતા ઉદાસ હતી. તેણે પિતાને કહ્યું, તમે શું કરો છો? તમારે પ્રાર્થના કહેવી જોઈએ લય નહીં. પછી પિતાએ કહ્યું, પણ આ મારી પ્રાર્થનાઓ છે. આ રીતે હું પ્રાર્થના કરું છું. તેણે કહ્યું કે હું દેવી સરસ્વતી અને ભગવાન ગણેશનો ઉપાસક છું. આ એક શ્રદ્ધાળુ મુસ્લિમની વાત હતી.





