થ્રિલર જોનરમાં બનેલી ફિલ્મ “ઠાર”નાં કલાકારોએ ફિલ્મનાં પ્રોમોશન માટે અમદાવાદમાં હાજરી આપી. દેશભરમાં 15મી નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પરથી પ્રેરિત પોલિસ એન્કાઉન્ટરની વાર્તામાં દર્શાવાશે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં શાહબાઝ ખાન એન્કાઉન્ટર નિષ્ણાત પોલિસની ભૂમિકામાં જોવા મળશે.
પ્રદીપ ચૂડીવાલના મેકનીલ એન્જીનિયરિંગ લિમિટેડ બેનર હેઠળ નિર્મિત ફિલ્મને સબીર શેખે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ગુજરાતી ઉપરાંત હિન્દીમાં પણ “અ રિયલ એન્કાઉન્ટર” નામ સાથે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની સ્ટાર કાસ્ટ શાહબાઝ ખાન, મુશ્તાક ખાન, રાકેશ પૂજારા, અમૃત દુજારી તથા ડાયરેક્ટર-એડિટર સબીર શેખ અને ડિસ્ટ્રીબ્યુટર બાલકૃષ્ણ શ્રીવાસ્તવે ફિલ્મ અંગે મિડીયા સાથે ચર્ચા કરી. પ્રેસ મીટમાં શાહબાઝ ખાન, મુશ્તાક ખાન, અમૃત દુજારી, દિગ્દર્શક – સબીર શેખ હાજર હતા.
ફિલ્મના મુખ્ય કલાકારોમાં શાહબાઝ ખાન, એહસાન ખાન, મુશ્તાક ખાન, રઝા મુરાદ, અલી ખાન, હિમાયત આલમ અલી, અખિલેશ વર્મા, બ્રતુતિ ગાંગુલી, અનિલ નાગરથ, રાકેશ પૂજારા, સંગીતા સિંહ, હૃષિકેશ તિવારી, અમૃત દુજારી અને કલીમ અખ્તર જેવા કલાકારોનો સમાવેશ થાય છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પ્રદીપ ચૂડીવાલ દ્વારા લખવામાં આવી છે, અને તેના ટ્રેલરે પહેલાથી જ કેટલાક દમદાર સંવાદો સાથે દર્શકોને પ્રભાવિત કર્યા છે. આ ફિલ્મમાં કોર્ટરૂમ ડ્રામાનો પણ સમાવેશ થાય છે જે નૈતિક દુવિધાઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતા દબાણને પ્રકાશિત કરે છે.
દિગ્દર્શક સબીર શેખે આ ફિલ્મ દ્વારા વાલીઓને બાળકોની ગતિવિધિઓ પર નજર રાખવાનો સંદેશ આપ્યો છે જેથી તેઓ સાચા માર્ગ પર રહે. તે જ સમયે, મુશ્તાક ખાને આ ફિલ્મમાં મસ્કનના પિતાનું ભાવનાત્મક પાત્ર ભજવ્યું છે, જ્યારે અનિલ નાગરથ એક રાજકારણીની ભૂમિકામાં જોવા મળશે, જે રાજકારણના ઊંડા પાસાઓને ઉજાગર કરે છે.
15મી નવેમ્બરે થિયેટરોમાં “ઠાર ” જુઓ અને એક્શન, સસ્પેન્સ અને સામાજિક મુદ્દાઓથી ભરેલી આ ફિલ્મનો આનંદ લો.





