Bollywood actors Food habit:જ્યારે આપણે બોલિવુડ કલાકારોને તેમની હેલ્થને લઈ પરિવર્તનમાંથી પસાર થતાં જોઈએ ત્યારે પ્રેરણા મળતી હોય છે. તેમાં પણ વજન ઘટાડવાની એટલે કે વેઈટ લોસની વાત આવે ત્યારે તો તેમાં બહુ રસ પડતો હોય છે અને આપણે પણ તેમની જેવા બની જઈએ તેવું મોટા ભાગના વિચારે છે. આ કલાકારોએ તેમના વજનને ઘટાડી બતાવ્યું છે કે તેઓ નિશ્ચય અને યોગ્ય આદતો સાથે કોઈપણ વ્યક્તિ તેમના ફિટનેસ લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે. આ 5 સામાન્ય આદતો છે જે બોલિવૂડ સ્ટાર્સ દ્વારા ફોટો કરવામાં આવે છે. જે તેમના વજન ઘટાડવામાં ફાળો આપે છે.
1 દિવસ દરમિયાન વધારે પાણી પીઓઃ
પોતાના બોડીને હાઇડ્રેટેડ રાખવું એ વજન ઘટાડવાની મહત્વની બાબતો છે. તે પાચનમાં પણ મદદ કરે છે, ભૂખને દૂર રાખે છે અને ખરાબ તત્વોને બહાર કાઢે છે. એક બોલિવૂડ સ્ટાર જે આ આદતને ફોલો કરે છે તે છે ભૂમિ પેડનેકર. ભૂમિએ માત્ર થોડાક જ મહિનામાં 32 કિલોગ્રામ વજન ઘટાડ્યું, અને તેની વજન-ઘટાડવાની સફરમાં દરરોજ ઓછામાં ઓછું 7 લિટર પાણી પીવું તે આદતે મહત્વનો ભાગ ભજવ્યો છે. તેણીએ એક ડીટોક્સ વોટર રેસીપી પણ બનાવી જેમાં લીંબુનો રસ, ફુદીનો, કાકડી અને તાજા પાણીનો સમાવેશ થતો હતો, જે તેણીએ આખો દિવસ પીતી હતી. આ આદતે તેને માત્ર હાઇડ્રેટ જ નહીં પરંતુ તેના શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદ કરી છે.

2 એક સુસંગત અને અસરકારક વર્કઆઉટ રૂટિનઃ
વજન ઘટાડવા માટે નિયમિત વર્કઆઉટ રુટિન આવશ્યક છે, કારણ કે તે કેલરી બર્ન કરવામાં, સ્નાયુઓ બનાવવામાં અને એકંદર ફિટનેસમાં સુધારો કરવામાં મદદ કરે છે. સારા અલી ખાન તેનું મુખ્ય ઉદાહરણ છે જેણે વજન ઘટાડવા માટે સતત ફિટનેસ રૂટિનનું પાલન કર્યું. સારાએ નિયમિત વ્યાયામ સાથે સ્વસ્થ આહારને જોડીને દોઢ વર્ષમાં 40 કિલોગ્રામ વજન ઘટાડ્યું. તેણીએ એક મીડિયા આઉટલેટને કહ્યું, “તમે ફૂડ હેબિટ અને વર્કઆઉટ કરીને ફિટ રહી શકો છે. સારાના તેની ફિટનેસ દિનચર્યા પ્રત્યેના સમર્પણએ તેના વજન ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
3 તંદુરસ્ત સવારની દિનચર્યાઃ
તંદુરસ્ત ટેવો સાથે દિવસની શરૂઆત વજન ઘટાડવામાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે. શહેનાઝ ગિલ સવારની કડક દિનચર્યાને અનુસરે છે જેમાં સવારમાં સૌથી પહેલા પાણીની ચૂસકી લેવી, પહેલાથી પલાળેલા સૂકા મેવા ખાવા અને નાસ્તા પહેલા સફરજન લેવાનો સમાવેશ થાય છે. સવારની આ આદતો તેણીને માત્ર હાઇડ્રેટેડ અને ઊર્જાવાન રહેવામાં જ મદદ કરતી નથી, પરંતુ તેણીના ચયાપચયને પણ ટેકો આપે છે અને વજન ઘટાડવાની પ્રોસેસમાં મદદ કરે છે.
4 નાસ્તો ક્યારેય છોડશો નહીઃ
સવારના નાસ્તા(મોર્નિંગ બ્રેકફાસ્ટ)ને દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન કહેવામાં આવે છે. તે આપણા ચયાપચયને વેગ આપે છે અને આગળના દિવસ માટે જરૂરી ઊર્જા પ્રદાન કરે છે. રાજકુમાર રાવે મૂવી રોલ માટે વજન વધાર્યા પછી થોડો અલગ અભિગમ અપનાવ્યો. ફરી તે શેપમાં પરત આવવા માટે રાજકુમારે તીવ્ર વર્કઆઉટ રૂટિન પછી પ્રોટીનયુક્ત રાત્રિભોજન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રાજકુમારની શિસ્તબદ્ધ દિનચર્યા અને રાત્રિભોજન દરમિયાન સંતુલિત આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તેને વધારાનું વજન ઘટાડવામાં અને તેનું ફિટ શરીર પાછું મેળવવામાં મદદ મળી.
5 રાત્રિ ભોજન એકદમ હળવું કરોઃ
હળવું રાત્રિભોજન ખાવાથી કેલરીની માત્રા ઘટાડીને અને પાચનમાં સુધારો કરીને વજન ઘટાડવામાં મદદ મળે છે. શહેનાઝ ગિલ હળવા રાત્રિભોજનના સિદ્ધાંતને અનુસરે છે જેમાં શાકભાજીની ખીચડી, દહીં અને દૂધી અને સૂપનો બાઉલનો સમાવેશ થાય છે. આ પૌષ્ટિક છતાં હળવું ભોજન તે વધારે ખાધા વિના પણ હેલ્ધી રહે છે તે દર્શાવે છે.





