ફેબ્યુલસ લાઈવ્સ વિરુદ્ધ બોલીવૂડ વાઇવ્સની ત્રીજી સીઝન પાછી આવી ગઈ છે, અને આ વખતે આ શો તેના સ્ટાર્સના અંગત જીવનમાં વધુ ઊંડે ઊતરી ગયો છે. સૌથી વધુ ભાવુક ક્ષણોમાંની એક ક્ષણ અભિનેત્રી અને જ્વેલરી ડિઝાઇનર નીલમ કોઠારીની સામે આવી જ્યારે તેણે ઋષિ શેઠિયા સાથેના તેનાં છૂટાછેડા વિશે ખુલીને વાત કરી હતી, જેમાં તેમણે તે સમયગાળા દરમિયાન જે સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો, તેનો ખુલાસો કર્યો હતો. હાલ તેઓ અભિનેતા સમીર સોની સાથે સુખી-સંપન્ન લગ્ન જીવનમાં વ્યસ્ત છે. જો કે નીલમ તેનાં પહેલા લગ્નમાં જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો તેનું વર્ણન કરતાં ભાંગી પડી હતી.
નીલમ કોઠારીની પુત્રીએ તેનાં છૂટાછેડાની જાણ ઓનલાઇન આર્ટીકલથી થઇ.
એકતા આર કપૂર સાથેની નિખાલસ વાતચીતમાં નીલમે જણાવ્યું હતું કે કેવી રીતે તેની પુત્રી આહનાએ ઓનલાઇન સર્ચ કરીને તેની માતાના ભૂતકાળના લગ્નની શોધ કરી હતી. એ ક્ષણે નીલમ લાગણીવશ થઈને ભાંગી પડી. તેને યાદ આવ્યું, “હું કામથી આવી છું અને આહના તેના મિત્રો સાથે હતી. સામાન્ય રીતે, તેઓ આસપાસ કૂદી રહ્યા છે, ચીસો પાડતા હોય છે, પરંતુ આ વખતે ત્યાં પિન-ડ્રોપ સાયલન્સ હતું. આહના મારી પાસે આવી અને પૂછ્યું, “મામા, તમે ક્યારેય મને કહ્યું નથી કે તમારા છૂટાછેડા થઈ ગયા છે.” અને આ સાંભળી જ હું મરી જ ગઇ, સ્તબ્ધ થઇ ગઇ, મારા શબ્દો ખૂટી પડ્યાં.”
નીલમે આગળ જણાવ્યું કે કેવી રીતે તેની દીકરીને ખબર પડી: “આહનાએ કહ્યું, “તમે સેલિબ્રિટી છે, અને હું અને મારા મિત્રો તમારા વિશે ગુગલ કરી રહ્યાં હતાં, તે દરમિયાન તમારા પહેલાં છૂટાછેડાની વાત બહાર આવી. અમને ખબર પડી કે તમે પહેલાં પરણેલા હતા.” નીલમે કહ્યું કે, મારા મનમાં પહેલી વાત એ આવી કે હું નથી ઇચ્છતી કે મારી દીકરીને આ વાતની જાણ થાય.”
નીલમ કોઠારી તેના પ્રથમ લગ્ન દરમિયાન કરેલાં સંઘર્ષો પર વાત કરી.
ઋષિ સેઠિયા સાથેના પ્રથમ લગ્ન વખતે તેમણે જે સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો તે વિશે ખુલીને નીલમે એક નવા દેશમાં ગયા પછી કેટલાક સાંસ્કૃતિક ધોરણોનું પાલન કરવાનું દબાણ જાહેર કર્યું હતું. “મને કહેવામાં આવ્યું હતું કે તમે ભારતીય કપડાં પહેરો, નોન-વેજ છોડી દો અને શરાબ ન પીઓ. હું દરેક બાબતમાં ઠીક હતી, પરંતુ મારી ઓળખ બદલવી, તે કંઈક એવું છે જેની સાથે હું ઠીક ન હતી. હું એવા તબક્કે પહોંચી ગઇ હતી, જ્યાં મેં મારી જાતને પ્રશ્ન કર્યો હતો કે, “હું આને કેવી રીતે મંજૂરી આપું છું?” નીલમે એ પણ યાદ કર્યું કે તેના આઇડેન્ટિટીને નકારી કાઢવું કેટલું પીડાદાયક હતું.”
નીલમે એ પણ યાદ કર્યું કે તે સમય દરમિયાન અભિનેત્રી તરીકેની તેની ઓળખને નકારી કાઢવી તે પણ ખૂબ પીડાદાયક હતું. “હું સુપરમાર્કેટમાં જતી કે લંચ માટે બહાર જતી હતી, અને કોઈક મારી પાસે આવીને પૂછતું, “શું તું નીલમ અભિનેત્રી છો? ત્યારે મારે ઘણી વાર ના પાડવી પડી.”
લગ્ન છોડવાનો નિર્ણય
આખરે નીલમે નક્કી કહ્યું કે, હવે તે પોતાના લગ્ન ખાતર પોતાની ઓળખનું બલિદાન નહીં આપી શકે. તે મુશ્કેલ નિર્ણય પર વિચાર કરતાં, તેણીએ કહ્યું, “તે તબક્કો ઘણો મુશ્કેલ હતો, પરંતુ હું તેના પર પૂરતી મહેનત કરવા માંગતી હતી. કારણ કે પ્રેમ માટે તમે પાગલપન તો હોવ જ છો. મને લાગે છે કે આ એક એવી બાબત છે જેની સાથે આ પૃથ્વી પરની કોઈ પણ સ્ત્રીએ ક્યારેય સમાધાન ન કરવું જોઇએ અને પોતાની ઓળખ ક્યારેય ના ગુમાવી જોઇએ.
આ શો હાલમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહ્યો છે.
આ અંગે થયેલો વાઇરલ વિડીયોમાં, તે પોતાની ઓળખ ગુમાવવાની ઘટનાને યાદ કરે છે: “મને ભારતીય કપડાં પહેરવાનું, નોન-વેજ છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું.”





