45th Saptak Sangeet Samaroh@ Ahmedabad: અમદાવાદમાં છેલ્લા 45 વર્ષથી ચાલતો ક્લાસિકલ સંગીતનો સમારોહ એટલે સપ્તક સંગીત સમારોહ. 1 જાન્યુઆરીથી ચાલુ થયેલા આ સમારોહમાં છેલ્લા છ દિવસમાં શુજાતખાનના સિતારવાદનથી લઈને બેગમ પરવીન સુલતાનાનું ગાયન, સાજન મિશ્રાનું શાસ્ત્રીય ગાયન, સંગીતા શંકરનું વાયોલિનવાદન અને વિશ્વમોહન ભટ્ટનું મોહનવીણાવાદન રજુ થઈ ચૂક્યું છે. અન્ય કલાકારો પણ આ સમારોહમાં પોતાની સંગીત પ્રસ્તુતિ કરી રહ્યાં છે.

ફોટોલાઈન:45માં સપ્તક સંગીત સમારોહની પ્રથમ રાત્રિનો પ્રારંભ થયો હતો. સંગીતની પ્રથમ રાત્રિએ બેગમ પરવીન સુલતાનાએ ભાવસભર ગાયન રજુ કર્યું. 45માં સપ્તક સંગીત સમારોહનો પ્રારંભ વિદુષી મંજુ મહેતાના વિદ્યાર્થીનીઓના સિતારવાદનથી થયો. આ શિષ્યગણે પોતાના ગુરૂ (મંજુ મહેતા)એ કંપોઝ કરેલી રચનાઓ રજુ કરી.

ફોટોલાઈન: સંગીતની બીજી રાત્રિએ વાંસળીવાદન, ગાયન અને મોહનવીણાવાદન રજુ થયું. વાંસળી, ગાયન અને મોહનવીણામાંથી નીકળેલા સૂરની ત્રિવેણીએ 45માં સપ્તકની બીજી રાત્રિને સૂરમયી બનાવી. સૌપ્રથમ સેશનમાં પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના શિષ્ય અને મહિયર ઘરાનાનાં વાંસળીવાદક રૂપક કુલકર્ણીનું વાંસળીવાદન રજુ થયું. ત્યાર પછી બીજા સેશનમાં ઉલ્હાસ કશાળકરનું શાસ્ત્રીય ગાયન રજુ થયું. જ્યારે અંતિમ સેશનમાં પંડિત વિશ્વમોહન ભટ્ટનું મોહનવીણાવાદન રજુ થયું.

ફોટોલાઈન: સંગીત સમારોહની ત્રીજી રાત્રિએ સૌપ્રથમ વિરાજ અમર, શુભેન્દ્ર રાવ અને અંતિમ સેશનમાં માતા પુત્રી સંગીતા શંકર અને રાગિણી શંકરનું વાયોલિનવાદન રજુ થયું. બનારસ ઘરાનાના પંડિત રાજન મિશ્રાના શિષ્યા ડો.વિરાજ અમરનું શાસ્ત્રીય ગાયન રજુ થયું. જ્યારે બીજા સેશનમાં સિતારવાદક શુભેન્દ્રરાવનું સાતારવાદન રજુ થયું. શુભેન્દ્ર રાવે સિતારવાદનની તાલિમ ગુરૂ રવિશંકરજી પાસેથી લીધી છે. સિતાર ઉપર વિવિધ રાગોને રજુ કરવામાં તેમની નિપૂણતા છે. જ્યારે અંતિમ ચરણમાં એટલે કે ત્રીજા સેશનમાં સંગીતા શંકર રાગિણી શંકરનું વાયોલિનવાદન રજુ થયું. તેમણે વેસ્ટર્ન ઈન્સ્ટ્રુમેન્ટ પર ગુજરાતી વૈષણવજનની પ્રસ્તુતિ કરી.

ફોટોલાઈન: સપ્તક સંગીતની ત્રીજી રાત્રિમાં અંતિમ સેશનમાં શુજાતખાનના સિતારવાદનને માણવા માટે મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ હાજર રહ્યાં.સપ્તક સંગીત સમારોહમાં પાંચમાં દિવસે રવિવારની સવાર નરેન્દ્ર મિશ્રાના સિતારવાદનથી થઈ હતી. ત્યાર પછી બનારસ ઘરાનાના પંડિત સાજન મિશ્રાનું શાસ્ત્રીય ગાયન રજુ થયું હતું. જ્યારે રાત્રિના સેશનની વાત કરીએ તો દેશના જાણીતા ચિત્રકાર રાજા રવિ વર્માના વંશજ એ પ્રિન્સ રામા વર્માનું કર્ણાટકી વોકલ રજુ થયું. બીજા સેશનમાં અમાનઅલિ બંગશનું સરોદવાદન અને અંતિમ સેશનમાં શુભા મુદગલનું શાસ્ત્રીયગાયન રજુ થયું.





