Vrindavan Solanki’s Art Show@Ahmedabad: એક એવા આર્ટિસ્ટ કે જેઓ ભારતનાં ગ્રામિણ કલ્ચરને કેનવાસ પર લઈને આવે છે. જો કે તેમના પેઈ્ન્ટિંગમાં જે હ્યુમન ફિગર હોય છે તે ફેસલેસ હોય છે. આ આર્ટિસ્ટ એટલે અમદાવાદનાં વૃંદાવન સોલંકી. તેમનો આર્ટ શો લાઈન્સ ઓફ લાઈફ અમદાવાદની આર્ચર ગેલેરી ખાતે શરૂ થયો છે. આ આર્ટ શોમાં વૃંદાવનો સોલંકી કે જેઓ કન્ટેમ્પરરી આર્ટિસ્ટ છે અને તેઓ તેમની ગતિશીલ રચનાઓ અને વાયબ્રન્ટ રંગોનો ઉપયોગ કરવા માટે જાણીતા છે તેમના પેઈન્ટિંગ અને ડ્રોઈંગ અહીં જોવા મળે છે.

આર્ચર આર્ટ ગેલેરી ખાતે શરૂ થયેલા આ આર્ટ શોમાં 1942માં જન્મેલા વૃંદાવન સોલંકીએ શરૂઆતમાં જે સ્કેચ કર્યા તે પણ જોવા મળે છે. આ ઉપરાંત રૂરલ ઈન્ડિયા અ તેમાં પણ સૌરાષ્ટ્રનું કલ્ચર કલરફૂલ પરિવેશમાં ખાસ જોઈ શકાય છે. શો અંગે વાત કરતાં વૃંદાવન સોલંકી કહે છે મારી કલા ગ્રામિણ લોકોની ડેઈલી લાઈફના દ્રશ્યોનું નિરૂપણ કરે છે. હું જુનાગઢમાં જન્મ્યો છું એટલે સ્વાભાવિક છે કે ત્યાંનું કલ્ચર મારા ચિત્રોમાં જોઈ શકાય. અંતે તો જે વિચારો આવે ચે આપણા મૂળ સાથે જોડાયેલા હોય છે અને મારી કલ્પનાના ઉંડાણમાં ક્યાંકને ક્યાંક આ સંગ્રહિત થયેલું છે જે ચિત્રો સ્વરૂપે જોઈ શકાય છે.





