કરવા ચૌથ હિંદુ પરંપરામાં પરિણીત મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. જો કે ઉત્તરનાં ક્ષેત્રોનો આ ખાસ તહેવાર ગુજરાતમાં ખાસ મહત્વનો ન હતો, જે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તે માટેની જાગરુકતા આવી છે. જેને લીધે ગુજરાતમાં પણ હવે કરવાચૌથની ઉજવણી જોર-શોરથી થવા માંડી છે. આ દિવસ દરમિયાન મહિલાઓ તેમના પતિની દીર્ઘ આયુષ્ય અને સારુ આરોગ્ય માટે ઉપવાસ રાખે છે. 2024માં કરવા ચૌથ 20 ઓક્ટોબરે ઉજવાશે. આ દિવસે, મહિલાઓ નિર્જલ વ્રત રાખે છે, જેમાં તેઓ સૂર્યોદયથી લઈને રાત્રે ચંદ્રનાં ઉદય સુધી કંઈ ખાતી-પીતી નથી. આ તહેવાર દરમિયાન સવારે પુજાની ચોકી તૈયાર કરવી મહત્વપૂર્ણ છે.
કર્વા ચૌથ 2024નું મહત્વ પ્રતિ વર્ષની જેમ, 2024માં પણ મહિલાઓ સવારમાં તેમના સાસુના હાથે મળેલી સરગીખાઇને ઉપવાસ શરૂ કરે છે. પછી, તેઓ સાંજે અન્ય મહિલાઓ સાથે પૂજામાં સામેલ થાય છે. પૂજાના અંતે રાત્રે ચંદ્રદેવને પાણી અર્પણ કરીને ઉપવાસ તોડવામાં આવે છે.
કરવા ચૌથ પૂજાનો ચોકી કેવી રીતે તૈયાર કરશો? પૂજાની ચોકી તૈયાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ તેની વિગતો.
સારી જગ્યાની પસંદગી
પૂજાની ચોકી ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખો, કારણ કે આ દિશાને શુભ માનવામાં આવે છે. જગ્યા સ્વચ્છ કરી, ગંગાજળ છાંટી જમીન પવિત્ર કરો.
પૂજાની ચોકી ઢાંકો
ચોકીને લાલ અથવા પીળા કપડાથી ઢાંકી દો, જે શુભ માનવામાં આવે છે.
મૂર્તિઓ સ્થાપન
પૂજાની ચોકી પર કરવા માતાનો ફોટો મૂકી, ભગવાન શિવ, દેવી પાર્વતી, ભગવાન ગણેશ અને કાર્તિકેયની મૂર્તિઓ મૂકવી. આ દેવપરિવાર દાંપત્યજીવનના સુખ માટે પૂજાય છે.
કરવો (માટીનો ઘડો)
કરવો ખૂબ જ મહત્વ ધરાવે છે. તેને હળદર અને કુંકુમથી સજાવો અને કળવા દોરો. કર્વામાં અનાજ, સુકામેવા, અને નાણાં નાખી ઢાંકી દો.
પૂજાનો આવશ્યક સામાન પૂજાની ચોકી પર મૂકો. જેમાં તમારે તાજા ફળ-ફૂલ, મીઠાઈઓ, અને પતાશા મૂકવા.





