મલાઇકા અરોરાનાં પિતા અનિલ અરોરાએ આજે સવારે લગભગ 9 કલાકે આત્મહત્યા કરી લીધી હતી. આવેલાં અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે કે તેમણે રહેણાંક ઇમારતનાં ત્રીજા માળેથી કૂદકો લગાવીને જીવન ટૂંકાવ્યું હતું. મલાઇકા હાલમાં પૂણેમાં છે, આ સમાચાર બાદ તેઓ મુંબઇ પરત ફરી રહ્યાં છે. તેમનાં પૂર્વ પતિ અરબાઝ ખાન પોતાનાં પૂર્વ સસરાનાં ઘરે પહોંચી ગયા છે.
મલાઇકા અરોરાનાં પિતા અનિલ અરોરાએ આજે સવારે લગભગ 9 કલાકે આત્મહત્યા કરી લીધી હતી. આવેલાં અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે કે તેમણે રહેણાંક ઇમારતનાં ત્રીજા માળેથી કૂદકો લગાવીને જીવન ટૂંકાવ્યું હતું. મલાઇકા હાલમાં પૂણેમાં છે, આ સમાચાર બાદ તેઓ મુંબઇ પરત ફરી રહ્યાં છે. તેમનાં પૂર્વ પતિ અરબાઝ ખાન પોતાનાં પૂર્વ સસરાનાં ઘરે પહોંચી ગયા છે.
અભિનેત્રી મલાઇકા અરોરા અને તેની નાની બહેન અમૃતા અરોરાનાં પિતા અનિલ અરોરાનું બુુધવારે વહેલી સવારે આત્મહત્યાથી મૃત્યુ નિપજ્યું હતું, આ બાબતની પુષ્ટિ મુંબઇ પોલીસે કરી હતી. મલાઇકાનાં પતિ અરબાઝ ખાન મલાઇકાનાં મુંબઇ સ્થિત નિવાસસ્થાને પહોચ્યાં હતાં. સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ રહેલાં વિડીયોમાં અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાન પોલીસ અધિકારીઓ સાથે વાત કરતો જોવા મળ્યો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવતો જોવા મળ્યો હતો.
ઘરની આસપાસનાં વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો, જોનાં કારણે સંવેદનશીલ સમય દરમિયાન પરિસ્થિતિની ગોપનીયતા અને વ્યવસ્થા જળવાઇ રહી હતી. આ ઉપરાંત બિલ્ડીંગની બહાર એમ્બ્યુલન્સની તૈનાત પણ જોવા મળી હતી.
મુંબઇ પોલીસનાં અધિકારીઓ હાલ આ ઘટના પાછળનાં મૂળ કારણની તપાસ હાથ ધરી છે, જેની વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે મલાઇકા જ્યારે 11 વર્ષની હતી ત્યારે તેના પેરેન્ટ્સ ડિવોર્સ લીધાં હતાં અને ત્યારબાદ મલાઇકા તેનાં માતા અને બહેન અમ્રૃતા સાથે ચેમ્બૂરમાં રહેવા ચાલી ગઇ હતી. મલાઇકાનાં પિતા અનિલ અરોરા ઇન્ડિયન મર્ચન્ટ નેવીમાં કાર્યરત હતાં.





