New Karan Arjun: કરણ અર્જુન નામ પડે ત્યારે સીધી શાહરૂખ અને સલમાનની આઇકોનિક ફિલ્મ જ યાદ આવે. ફિલ્મનાં દિગ્દર્શકે જો પુનઃકલ્પના કરવાની આવે તો કરણ અર્જુન ફિલ્મનો જાદુ હ્રતિક રોશન અને રણબીર કપૂર સાથે કરવા માંગે છે. એક ઇન્ટરવ્યૂમાં કરણ અર્જુન ફિલ્મને ફરીથી કલ્પવામાં આવે તે તેમણે શાહરૂખ અને સલમાનને ટાળીને રણબીર કપૂર અને હ્રિતિક રોશન સાથે નવી કરણ અર્જુન ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી.
ક્લાસિક કરણ અર્જુન ફિલ્મ બોલિવુડની આઇકોનિક ફિલ્મોમાંની એક ફિલ્મ કહેવાય છે, જેમાં શાહરૂખ, સલમાન, રાખી, કાજોલ, મમતા કુલકર્ણીની સાથે અમરીશ પુરીની ગજબ એક્ટિંગ તેમજ દમદાર પટકથાને લીધે ફિલ્મે બોક્સઓફિસ પર હિટ ફિલ્મનું સ્થાન મેળવ્યું હતું. રાકેશ રોશન નિર્દેશિત 1995માં રિલિઝ થયેલી આ એક્શન ડ્રામા ફિલ્મમાં બંને સુપર સ્ટાર્સે ભાઇઓની ભૂમિકા ભજવી હતી. આ કલ્ટ ફિલ્મની રિમેક 30 વર્ષ પછી ફરીથી બનવા જઇ રહી છે. ઇટીટાઇમ્સ સાથેની એક મુલાકાતમાં રાકેશ રોશને કરણ અર્જુનની આધુનિક ફિલ્મને પુનઃકલ્પના કલ્પના કરવા બાબતે આ નવી સંભવિત જોડી હ્રતિક રોશન અને રણબીર કપૂરને સૂચવ્યાં હતાં.
રાકેશ રોશને શું કહ્યું તે આ પ્રમાણે છે
આ ચેટ દરમિયાન રાકેશે ફિલ્મની સિક્વલ કે પછી રિમેકની કોઇ શક્યતાને નકારી કાઢી હતી. તેણે વધુમાં ઉમેર્યું હતું કે, “હું કરણ અર્જુનની રીમેક નહીં બનાવું કે ન તો સિક્વલ બનાવીશ, પરંતુ જો હું આજે આ ફિલ્મ માટે વૈકલ્પિક જોડી વિશે વિચારું, તો હું કરણ તરીકે હૃતિક રોશનને અને અર્જુન તરીકે રણબીર કપૂરને કાસ્ટ કરીશ.”
રાકેશે એસઆરકે અને સલમાનને કેમ કાસ્ટ કર્યા હતાં
તે વખતે રાકેશે સલમાન અને શાહરૂખને પહેલા તો કાસ્ટ કરવાનો નિર્ણય શા માટે લીધો તે કારણ વિશે ખુલીને વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “સલમાનનું શરીર કસાયેલું અને અસાધારણ રીતે સારું હતું. તે સમયના કોઈ પણ અભિનેતાએ તે પ્રકારનું શરીર બનાવ્યું ન હતું. તેણે તે ફિટ બોડી ટ્રેન્ડ શરૂ કર્યો. વળી, મને તેની આંખો આકર્ષક લાગે છે. હું કરણના રોલ માટે એવી કોઇ વ્યક્તિ શોધી રહ્યો હતો જે વ્યક્તિ ઓછું બોલે અને તેની આંખો વધારે બોલે. મેં શાહરુખ સાથે કિંગ અંકલ (૧૯૮૩)માં કામ કર્યું હતું અને ફૌજીમાં તેમને ખૂબ જ પસંદ કર્યા હતા તેથી હું ઇચ્છતો હતો કે તેઓ અર્જુન બને.”
હૃતિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પિતાની ફિલ્મની ફરી રિલીઝના સમાચાર શેર કર્યા હતા. તેણે લખ્યું: “સિનેમા ફરી ક્યારેય પહેલાં જેવું નહોતું… જ્યારે કરણ અર્જુન પહેલીવાર મોટા પડદે સાથે આવ્યા હતા. 22 નવેમ્બર 2024 થી વિશ્વભરના થિયેટરોમાં કરણ અર્જુનને ફરીથી માણી શકાશે!” હૃતિકે આ ફિલ્મમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.





