Follow these 7 tips to manage anger: ગુસ્સો આવવો સામાન્ય વાત છે પણ ગુસ્સો જ્યારે કાબૂ બહાર જાય ત્યારે પરિસ્થિતી વણસી શકે છે. પછી તે કોર્પોરેટ કલ્ચરની વાત હોય કે પરિવારની વાત હોય. ગુસ્સો આવે ત્યારે પોતાની જાતને કઈ રીતે શાંત રાખવી તે પણ એક કળા છે. જો ગુસ્સો આવે તે સ્થિતીમાં તમે શાંત રહ્યાં તો તમારે જે કહેવું છે તે તમે સ્પષ્ટ રીતે કહી શકશો. આ સાથે બગડી પરિસ્થિતિને પણ અટકાવી શકશો. સંબંધોમાં ગુસ્સાને કઈ રીતે કાબૂમાં રાખવો તે આજના સમયની માંગ છે. આ સ્થિતીમાં સાયકોલોજિસ્ટ ગુસ્સો કેમ આવે છે અને તેને કાબૂમાં કરવાની 7 ટિપ્સ આપે છે.

વાત કરો અને પિત્તો જાય છે? આ સમયમાં આવી ભૂલો ન કરો:
તમે જ્યારે કોઈની સાથે વાત કરો છો અને કોઈ તમને પર્સનલ કમેન્ટ કરે છે તો તમારો પિત્તો જાય છે એટલે કે ગુસ્સો આવે છે. આ ઉપરાંત ગુસ્સાનો સંબંધ અપમાન અને લાગણીઓનું સન્માન ન કરવા સાથે પણ છે. ક્યારેક ગેરસમજ અને સ્ટ્રેસને લઈને પણ આવું થઈ શકે છે. જો ગુસ્સાને સમયસર કાબૂમાં ન રાખવામાં આવે તો તેની અસર તમારા રિલેશન પર પણ પડી શકે છે.

બિજલ પંડ્યા કે જેઓ અમદાવાદમાં સિનિયર સાયકોલોજિસ્ટ તરીકે પોતાની સેવાઓ આપે છે.
સાયકોલોજિસ્ટ બિજલ પંડ્યાનાં મતે વાત કરતી વખતે ગુસ્સે થવાના આ છે 5 કારણો:
1 તમે કોઈ વિષય સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હોવ અને કોઈ છંછેડે તો ગુસ્સો આવે છે.
2 જ્યારે તમે કોઈ વિષય પર ક્લિયર વિચાર ધરાવો છો અને કોઈ ટિપ્પણી કરે તો પણ ગુસ્સો આવે છે.
3 તમારી ઉપર કોઈ વ્યક્તિગત હુમલો કરે અને દોષારોપણ કરે તો પણ મગજ જાય છે.
4 ગ્રુપમાં કે મિટીંગમાં કોઈ તમારૂ અપમાન કરે તો અંદરથી ગુસ્સો આવે છે.
5 જ્યારે તમે સ્ટ્રેસફૂલ સ્થિતીમાં છો કે કોઈ ચિંતા સતાવે છે ત્યારે પણ ગુસ્સો આવે છે.સમજદારીની ભાવનાનો અભાવ હોય ત્યારે ગુસ્સો આવે.
જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે આ 7 ટિપ્સને ફોલો કરો:
1 ગુસ્સો આવે ત્યારે અંદરથી એકદમ ચૂપ રહો. કોઈ પ્રતિક્રિયા ન આપશો. માત્રને માત્ર ઉંડા શ્વાસ લો.
2 ગુસ્સો આવ્યો છે અને તમારે કોઈ જવાબ પણ આપવાનો છે તે સ્થિતીમાં શાંતિથી સમજી વિચારીને બોલો.
3 તમારે જે કહેવું હોય તે એકદમ શાંતિથી કહો. મોટા અવાજે ન બોલો.
4 તમે જે સબ્જેક્ટ પર વાત કરતાં હોવ તેના પર જ ફોકસ કરો. એકાગ્રતા રાખો.
5 કોઈ પણ સ્થિતીમાં ઈમોશનને કંટ્રોલમાં રાખો. એક્સાઈટ થઈને રિસ્પોન્સ ન આપો.
6 સામેની વ્યક્તિની વાતને પણ શાંતિથી સાંભળો.
7 જ્યારે લાગે કે બાજી બગડી રહી છે તો તે સ્થાનને છોડી દો.





