શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકીઃ અભિનેતા સલમાન ખાન આજકાલ ચર્ચામાં છે. એનસીપી નેતા અને સલમાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલીવૂડના તમામ કલાકારો ચોંકી ગયા હતા. ત્યાર બાદ સલમાનને જાનથી મારી નાખવાની ધમકી મળવા લાગી હતી. સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની અનેક ધમકી મળી છે. સલમાન ખાનની ધમકીના સમાચાર તાજા છે, ત્યારે બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બાંદ્રા પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ધમકીભર્યો ફોન રાયપુરના ફૈઝાન નામના વ્યક્તિએ કર્યો હતો. આ ફોન શાહરૂખ ખાનની પ્રોડક્શન કંપની ‘રેડ ચિલીઝ’ની ઓફિસમાં આવ્યો હતો, જે બાદ સનસની ફેલાઈ ગઈ હતી. તરત જ પોલીસને જાણ કરવામાં આવી કે કિંગ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફોન આવ્યા છે. બાદમાં મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. મુંબઈ પોલીસની એક ટીમ છત્તીસગઢના રાયપુર પહોંચી ગઈ છે. વાસ્તવમાં પોલીસે જ્યારે કોલ ટ્રેસ કર્યો તો જાણવા મળ્યું કે તે રાયપુરનો છે. છેલ્લે માર્કેટ છે અને પોલીસ ત્યાં પહોંચીને તપાસ કરી રહી છે.

બોલિવૂડ કિંગ ખાનનો જીવ જોખમમાં છે. તાજેતરમાં રાયપુરના ફૈઝાન ખાન નામના એક વ્યક્તિએ અભિનેતા શાહરુખ ખાનને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હવે આ કેસ પર મોટું અપડેટ આવ્યું છે. આ અંગે નોંધાયેલી એફઆઈઆરની કોપી સામે આવી છે. શાહરૂખ ખાનને મળેલી ધમકીની ફરિયાદ મંગળવાર 5 નવેમ્બર 2024ના રોજ દાખલ કરવામાં આવી હતી. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરની કોપીમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

એફઆઈઆરમાં ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખંડણી માંગનાર વ્યક્તિએ કહ્યું, “શાહરૂખ ખાન મન્નત બેન્ડસ્ટેન્ડનો છે, ખરું ને? જો તે મને 50 લાખ રૂપિયા નહીં આપે તો હું તેને મારી નાખીશ”. શાહરૂખની આ ધમકીથી કલા જગતને પણ મોટો આંચકો લાગ્યો છે. આખરે પોલીસે શાહરૂખ ખાનની આ ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી છે.





