BCCI’s family rule: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની 3-1થી મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન પારિવારિક સાથ-સહકાર પર મર્યાદાનો અમલ કર્યો નથી. પરંતુ તે ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે.
તાજેતરમાં વિરાટ કોહલીએ ખેલાડીઓની સાથે પ્રવાસમાં આવતા પરિવારોની મર્યાદા અંગે નિરાશા વ્યક્ત કરી હતી, પરંતુ બોર્ડે નારાજગીનો સ્વીકાર કરતાં આ આદેશને યથાવત્ રાખવા પર મક્કમ રહ્યાં છે.
તેના વિશે વાત કરતા ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે આ નીતિના પક્ષમાં વાત કરતા કહ્યું છે કે તેનાથી ખેલાડીઓને એકાગ્ર રહેવામાં મદદ મળશે, જો કે લાંબા સમય સુધી પ્રિયજનોથી દૂર રહેવું મુશ્કેલ બની શકે છે.
“હું સમજી શકું છું કે જ્યારે યુવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા હતા અને એક ટુર્નામેન્ટમાંથી બીજી ટુર્નામેન્ટમાં જતા હતા અને તે લાંબા સમય સુધી દૂર રહેવાના હતા ત્યારે મને કેવું ફીલ થતું હતું. હેઝલે એએનઆઈને જણાવ્યું હતું કે, નાના બાળકોવાળા પરિવારો માટે, આટલા લાંબા સમય સુધી અલગ રહેવું મુશ્કેલ હોય છે. “પરંતુ જ્યારે હું તેમની મેચ જોતી ત્યારે યુવરાજ હંમેશા મારા માટે ચિંતિત રહેતા, જેના કારણે તેનું રમત પરનું ધ્યાન કેન્દ્રિત ન થતું. તેથી, પરિવારોને મર્યાદિત સમય માટે જોડાવાની મંજૂરી આપવી એ બંને રીતે ફાયદાકારક છે. “
નવી અમલમાં મૂકાયેલી નીતિમાં જણાવવામાં આવ્યું છે કે 45 દિવસથી વધુ સમય સુધી ચાલનારા પ્રવાસો માટે પતિ-પત્ની અને બાળકો સહિત પરિવારના નજીકના સભ્યોને પ્રારંભિક પખવાડિયા બાદ 14 દિવસ માટે ખેલાડીઓ સાથે જોડાવાની મંજૂરી આપવામાં આવી છે. ટૂંકા પ્રવાસ માટે, પરિવારોને વધુમાં વધુ સાત દિવસ સુધી ખેલાડીઓની સાથે જવાની મંજૂરી છે.





