દિવાળી પર્વનો 29 ઓક્ટોબર મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. પછી બીજા દિવસે 30મી ઓક્ટોબરે કાળી ચૌદસ અને 31મી ઓક્ટોબરે દિવાળી તેમજ લક્ષ્મી પૂજન થશે. જ્યારે 1 નવેમ્બરે અમાવસ્યા છે. 2જી નવેમ્બરે ગોવર્ધન પૂજા અને 3જી નવેમ્બરે ભાઈબીજ મનાવવામાં આવસે. આ દિવસોમાં કરવામાં આવેલા શુભ કાર્યથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં વાસ કરે છે. દેવીલક્ષ્મી પ્રસંન્ન થતાં પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે.
તમે જો લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માંગતા હોવતો આ શુભ કાર્યો કરી શકાય છે.
ધરમાં આ દિવસોમાં દરરોજ સવારે ગંગાજળનો છંટકાવ કરો: ઘરમાં પવિત્રતા અને સકારાત્મકતા જાળવી રાખવા માટે ગંગાજળ છાંટવાની પરંપરા છે. ગંગાજળને પવિત્ર માનવામાં આવે છે. જો ઘરમાં ગંગા જળ ઉપલબ્ધ ન હોય તો ગૌમૂત્રનો પણ છંટકાવ કરી શકો છો.
ઘર કે ઓફિસનાં મુખ્ય પ્રવેશ દ્વાર પર આસોપાલવના તોરણ લગાવો:ધનતેરસની સવારથી જ એટલે કે દીપોત્સવના પ્રથમ દિવસે, ઘર કે ઓફિસનાં મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ બાંધો. આ તોરણ નકારાત્મક ઉર્જા ને ઘરમાં આવતા અટકાવે છે. આસોપાલવના તોરણના કારણે ઘરનું વાતાવરણ પોઝિટીવ અને પવિત્ર રહે છે. તેનાથી આપણા મનમાં દિવાળીનો ઉત્સાહ પણ વધે છે.

દરરોજ પંચદેવોની પૂજા કરો:શાસ્ત્રોમાં પંચદેવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, દરેક શુભ કાર્યની શરૂઆતમાં આ પાંચ દેવતાઓની પૂજા કરવામાં આવે છે. પંચદેવોમાં ભગવાન ગણેશ, શિવ, વિષ્ણુ, સૂર્ય અને દેવી દુર્ગાનો સમાવેશ થાય છે. ભગવાન ગણેશને દુર્વા, ભગવાન શિવને બિલ્વના પાન, ભગવાન વિષ્ણુને તુલસી, સૂર્યને જળ અને દેવી દુર્ગાને લાલ ફૂલ ચઢાવો.
તમે આ મુખ્ય ભગવાનનાં મંત્રોનો જાપ કરી શકો છો: ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરો. દીવો પ્રગટાવો અને તમારા ભગવાનના મંત્રોનો જાપ કરો.
આ મંત્રો કરવાથી ઘરમાં પવિત્રતા જળવાય છે.
લક્ષ્મી મંત્ર – ઓમ લક્ષ્મી નમઃ
ગણેશ મંત્ર – શ્રી ગણેશાય નમઃ:
વિષ્ણુ મંત્ર – ઓમ નમો ભગવતે વાસુદેવાય
રામ મંત્ર – રા રામાય નમઃ:
હનુમાન મંત્ર – શ્રી રામદૂતાય નમઃ :





