Diljit Dosanjh’s Yoga Advice:આજકાલ દિલજીત દોસાંઝ તેમની ‘દિલ લુમિનાટી’ટૂર માટે ચર્ચામાં છે. આ સમયમાં તેણે વ્યસ્ત લાઈફ વચ્ચે પણ યોગ કરવાથી કઈ રીતે સ્ટ્રેસ ફ્રી રહી શકાય તે અંગે વાત કરી હતી. દિલજીત દોસાંઝે સ્ટ્રેસ ફ્રી રહેવાની ટિપ્સ આપતાં કહ્યું કે, ‘તમારી જેમ મારે રોજ ખૂબ ટેન્શન હોય છે તે હું તમારી સાથે શેર કરી શકતો નથી પણ હા એટલુ કહીશ કે સ્ટ્રેસ ફ્રી રહેવા માટે દરરોજ યોગ કરવા જોઈએ. દિલજીતે પૂણેના એક શો વખતે પોતાની ચિંતાઓ અંગે કહ્યું હતું.
દિલજીતે કહ્યું કે તે સવારે ઉઠે એટલે ઘણા ટેન્શનનો સામનો કરે છે પરંતુ તેની પાસે તેને દૂર કરવાની ટિપ્સ પણ છે. દિલજીત દોસાંઝે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની કોન્સર્ટનો વીડિયો શેર કર્યો છે. તેમાં કહ્યું છે કે, ‘જ્યારે તમને કોઈ વસ્તુ મળે છે, ત્યારે કહેવામાં આવે છે કે તમારે કોઈને કહેવું નહીં. પણ મને લાગે છે કે દરેકનો સમય આવવાનો છે. જો તમે યોગ કરશો તો તમે જે પણ કામ કરશો તેમાં તમારા કામની ઝડપ ડબલ થઈ જશે. યોગ એ તમારી યાત્રા છે અને તે તમારી ઈનર સિસ્ટમને સુધારે છે.
તમારી કાર યોગ્ય બેલેન્સમાં ન હોય ત્યારે તમે એલાઈનમેન્ટ કરાવો છો તેમ કહેતાં દિલજીતે કહ્યું કે, ‘બસ આવું જ યોગમાં પણ લાગુ પડે છે. યોગ તમારી લાઈફને કારને બેલેન્સ કરે છે. જો કે હું કોઈ સાધુ કે બાબા નથી જે આ બધું કહી રહ્યો છું પણ ચકાસાયેલી વસ્તુ છે કે તમે યોગ કરો છો તો જીવનમાં કંઈપણ મેળવી શકો છો. દિલજીતે કહ્યું કે તકલીફો દરેકની લાઈફમાં આવે જ છે અને તેનું ટેન્શન પણ રહ્યા કરે છે. મારી જ વાત કરૂ તો હું તમને કહી પણ શકતો નથી કે હું દરરોજ કેટલા ટેન્શનનો સામનો કરું છું. એટલે જેટલું મોટું કામ એટલું મોટું ટેન્શન. જો કે આ સ્થિતીમાં યોગ કરો તો રસ્તાઓ આપોઆપ બની જાય છે અને ટેન્શન દૂર થાય છે.
દિલજીત દોસાંઝ ‘દિલ લુમિનાટી’ ટૂર માટે હૈદરાબાદ, લખનૌ,દિલ્હી, જયપુર,ગુજરાત અને પૂણેમાં કોન્સર્ટ કરી છે. હવે આગામી દિવસોમાં તે બેંગ્લોર,ઈન્દોર, કોલકાતા અને ગુવાહાટીમાં પરફોર્મન્સ આપશે.





