Govinda & Sunita divorced: બોલિવૂડ એક્ટર ગોવિંદાએ તેનાં લગ્નજીવનનાં શાનદાર 37 વર્ષ સમય પસાર કર્યો છે, જો કે છેલ્લાં ઘણાં લાંબા સમયથી તેઓ રૂપેરી પડદેથી ગાયબ છે. પરંતુ અભિનેતા ઘણીવાર તેની અંગત જિંદગીને કારણે ચર્ચામાં રહે છે. હવે અભિનેતાને લઇને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટસના અનુસાર ગોવિંદા એક મરાઠી અભિનેત્રીના પ્રેમમાં છે. જેના કારણે ગોવિંદાના અંગત જીવન વિશે અટકળો લગાવવામાં આવી રહી છે કે તેનાં ડિવોર્સ થઇ રહ્યાં છે. અભિનેતા એક મરાઠી અભિનેત્રીના પ્રેમમાં છે અને લગ્નેતર સંબંધ ધરાવે છે અને ટૂંક સમયમાં જ પત્ની સુનિતા આહુજાને છૂટાછેડા આપી રહ્યો, હોવાનું કહેવાય છે.
ગોવિંદાનું નામ હંમેશા બોલિવૂડના ટોચના કલાકારોની યાદી આવે છે. તેમણે ૮૦ અને ૯૦ ના દાયકામાં ફિલ્મ ઉદ્યોગ પર ગજબ શાસન કર્યું હતું. તેની એક્ટિંગ અને ડાન્સના ફેન્સ ક્રેઝી હતા. આજે પણ તેનું આકર્ષણ અકબંધ છે. પરંતુ હવે અભિનેતાના અંગત જીવન સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રેડિટમાં છપાયેલા એક અહેવાલ મુજબ ગોવિંદા લગ્નના 37 વર્ષ બાદ પત્ની સુનીતાને છૂટાછેડા આપવા જઈ રહ્યા છે.
આ પહેલા અભિનેતાની પત્ની સુનીતાએ પણ તેના પ્રેમ સંબંધના સંકેત આપ્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે, શેડ્યૂલના અભાવને કારણે તે લાંબા સમયથી સ્વતંત્ર રીતે જીવી રહ્યા છે. દરમિયાન, ગોવિંદાનું મરાઠી અભિનેત્રી સાથે અફેર ચાલી રહ્યું હોવાની માહિતી મળી હતી. નવાઈની વાત એ છે કે અભિનેત્રીની ઉંમર 30 વર્ષ છે. બંને વચ્ચે લગભગ 31 વર્ષનું અંતર છે. જો કે, અભિનેત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
ગોવિંદાએ હજી સુધી આ અહેવાલો પર કોઈ ટિપ્પણી કરી નથી. આ કિસ્સામાં, તે કેટલું સાચું છે તે કહેવું થોડું મુશ્કેલ છે. હિન્દી રશને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ગોવિંદાની પત્ની સુનીતાએ જણાવ્યું હતું કે, “ભૂતકાળમાં હું ખૂબ જ સુરક્ષિત હતી. પણ હવે હું સલામત નથી. કારણ કે લોકો 60 વર્ષની ઉંમર પછી બદલાય છે. હું જાણું છું કે તે શું કરી રહ્યો છે”. ગોવિંદાએ 1987માં સુનિતા આહુજા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે.





