મહિલાઓમાં લાઇફસ્ટાઇલને કારણે દરેક ઉંમરની મહિલાઓમાં ઘણી હોર્મોનલ સમસ્યાઓ ઊભી થઇ હોવાની સમસ્યાઓ જોવા મળી રહી છે. અગાઉ હોર્મોનલ સમસ્યાઓ લગભગ 40ની ઉંમર પછી નોંધાતી હતી, પરંતુ હવે કોલેજમાં અભ્યાસ કરતી 20-25 વર્ષની યુવતીઓમાં પણ PCOD અને PCOSની સમસ્યાઓ થવા માંડી છે. આ સમસ્યાઓથી ધીમે-ધીમે ગર્ભાશયનાં રોગો પણ થવા માંડે છે જેવાં કે ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ, ચોકલેટ સિસ્ટ, માસિકધર્મની અનિયમિતતા અને સ્ત્રી વંધ્યત્વ જેવી મોટી સમસ્યાઓ પણ થવા માંડે છે. મોટાભાગનાં ગાયનેકોલોજીસ્ટ્સ PCOD અને PCOSની કામચલાઉ ઇલાજ કરતાં હોય છે તો તેઓ ક્યારેય એવો દાવો કરતાં નથી કે આ રોગ કાયમ માટે ખતમ થઇ શકે છે.
આ બંને સમસ્યાઓની ગંભીરતા સમજીને તે ચિંતાજનક પરિસ્થિતિ પર પહોચે તે પહેલાં તેનો ઇલાજ કરી લેવો જોઇએ. ઘરગથ્થુ અને આયુર્વેદ ઉપચારથી આ બંને હોર્મોન્સને લગતી સમસ્યાઓ દૂર થઇ શકે છે. જાણીએ આ ઘરગથ્થુ ઉપચારનાં વિકલ્પો જેનો પ્રયોગાત્મક ઉપયોગ ક્યારેય નુકસાનદાયક નહીં હોય અને હોર્મોન્સને લગતી આ સમસ્યાઓ સહેલાઇથી દૂર કરી શકાશે.
- આદુ – આદુને પાણીમાં વાટીને કે છીણીને નાંખીને, તે પાણીને બાફીને તૈયાર કરવામાં આવેલાં હૂંફાળા પાણીને સવારે ખાલી પેટ લેવાથી, પિરિયડ્સની અનિયમિતતા બંધ થશે. જો કે આ પ્રયોગ 2-2 દિવસ છોડીને કરવો. આ વજન ઘટાડવામાં પણ ખૂબ જ મોટો ફાળો આપે છે. આ ઉપરાંત તેમાં 2-3 મરીનો ભૂકો મેળવીને પણ લઇ શકાચ.

- તુલસીનાં પાન – તુલસીનાં પાન હોર્મોન બેલેન્સ કરવા માટે અસરકારક છે. રોજ 4-5 તુલસીનાં પાન ખાવાથી હોર્મોનનું સંતુલન જળવાય છે અને PCOD અને PCOSનાં લક્ષણો ઘણાં ખરા અંશે ઓછા કરી શકાય છે.
- તજનો પાવડર – રોજ સાંજે સૂતા પહેલાં તજનાં પાવડરને પાણીમાં ઉકાળીને આ ગરમ પાણી પીવાથી હોર્મોન્સ બેલેન્સ રહે છે. તેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો રહેલાં છે. આ ઉપરાંત સીરીયલ્સ, ઓટમિલ્સ, યોગર્ટ સાથે પણ તજનો પાવડર લઇ શકાય છે.
- મેથીનાં બીજ – મેથીના બીજ ઇન્સ્યુલિનની સંવેદનક્ષમતા સુધારે છે, જે PCOS માટે અત્યંત મહત્વપૂર્ણ છે. રોજની બે ચમચી મેથીનાં બીજને રાત્રે પાણીમાં પલાળીને રાખવા અને બીજા દિવસે સવારે ખાલી પેટે તેને પાણી સાથે ખાવા. આ ઉપચારથી ન માત્ર PCOSમાં રાહત મળશે, પરંતુ તેનાંથી પેટ ફૂલવાની તકલીફો પણ દૂર થાય છે. તેમજ આ ઉપાયથી વાળ ઉતરતા બંધ થઇ, વાળનો ગ્રોથ વધીને ઘટ્ટ પણ થાય છે.
- જીરાનું પાણી – સ્ત્રીઓનાં શરીરમાં થતી હોર્મોનલ સમસ્યાઓને દૂર કરવા માટે જીરાનું પાણી ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે. તેનાથી પાચનતંત્ર સુધરે છે અને શરીરનાં ટોક્સિન્સ દૂર થાય છે. જેથી શરીરમાં રહેતાં વત્ત અને પિત્તને કંટ્રોલ કરીને પાચનશક્તિ વધારી શકાય છે. આ ઉપાય શરીર માટે ડિટોક્સનું પણ કામ કરે છે.





