Ruhaniyat Sufi Music Festival 2024:અમદાવાદમાં સૂફી મ્યુઝિક ફેસ્ટિવલ રૂહાનિયતમાં પરંપરાગત સંગીતની સૂરાવલીઓ વહી. શ્રેયસ ફાઉન્ડેશન ખાતે સૂફી મ્યુઝિક દ્વારા ભારતનાં વિવિધ પ્રાંતની સંગીત પરંપરાઓ લઈને આવતો મ્યુઝિક ફેસ્ટિવલ રૂહાનિયત યોજાયો હતો. ફેસ્ટિવલમાં આ વખતે 89 વર્ષિય વારલી આદિવાસી સંગીતકાર ભિકલ્યા લાડક્યા ભિંડરા જે વાંસ અને દૂધીને સૂકવીને બનાવવામાં આવતું પરંપરાગત વાદ્ય તારપાથી સંગીતપ્રેમીઓને રસતરબોળ કર્યા. તો મહારાષ્ટ્રના અવધૂત ગાંધી અને તેમનું ગ્રુપ 13મી સદીના સંત જ્ઞાનેશ્વરની રચનાઓ લઈને રજુ થયા હતાં. કબિર ચૌરા અંતર્ગત મીર મુખ્તીયાર અલિએ કબિરની રચનાઓ રજુ કરી. તો તિમુ ગુલ્ફામ ગ્રુપે કવ્વાલીની રંગત જમાવી હતી. આ સૂફી ફેસ્ટિવલમાં મોંગોલિયા અને ઈન્ડોનેશિયાના કલાકારો પણ મ્યુઝિકની પ્રસ્તુતિ કરી હતી.

89 વર્ષિય વારલી આદિવાસી સંગીતકાર ભિકલ્યા લાડક્યા ભિંડરા જે વાંસ અને દૂધીને સૂકવીને બનાવવામાં આવતું પરંપરાગત વાદ્ય તારપાથી સંગીતપ્રેમીઓને રસતરબોળ કર્યા
ભિકલ્યા લાડક્યા ભિંડરા એક વારલી આદિવાસી છે. આ 89 વર્ષીય સંગીતકાર વાળવંડેમાં રહે છે અને તારપા વગાડે છે, જે વાંસ અને દૂધીને સૂકવીને બનાવવામાં આવતું પરંપરાગત પવન વાદ્ય છે. તે કહે છે, ‘જ્યારે હું તારપા વગાડું છું ત્યારે અમારા વારલી લોકો શરીરની અંદર જાણે પવન વાતો હોય તેવી અનુભૂતિ કરે છે. એક કલાક સુધી તેમનું શરીર પવનની સાથે ડોલતા વૃક્ષની જેમ ડોલે છે.’

આ સૂફી ફેસ્ટિવલમાં મોંગોલિયા અને ઈન્ડોનેશિયાના કલાકારો પણ મ્યુઝિકની પ્રસ્તુતિ કરી હતી.
રૂહાનિયતનાં ફાઉન્ડર મહેશ બાબૂએ કહ્યું કે, ‘રુહાનીયાત તમામ માનવસર્જિત વિભાજનની બહાર તમામ સર્જનની મૂળભૂત એકતાના રીમાઇન્ડર તરીકે સેવા આપે છે અને આ રીતે ભારતનાં વિવિધ શહેરોમાં પ્રેક્ષકોને પ્રેમ, સંવાદિતા, શાંતિ, સંતુલન અને એકતાની દુનિયામાં ડોકિયુ કરાવે છે. અહીં એવા કલાકારો સંગીતની પ્રસ્તુતિ કરે છે જેઓ કોઈ સેલિબ્રીટી કલાકાર નથી પણ તેઓ જે સંગીત રજુ કરે છે તે સેલિબ્રીટી આર્ટિસ્ટથી કમ નથી.





