Prateik Babbar is now Prateik Smita Patil: અભિનેતા પ્રતીક બબ્બર અને તેના પિતા, પીઢ અભિનેતા-રાજકારણી રાજ બબ્બરને લઈને ચાલી રહેલા વિવાદોને કારણે બબ્બર પરિવાર હેડલાઇન્સમાં રહ્યાં છે. જ્યારે પ્રતીકે પ્રિયા બેનર્જી સાથેના તેના લગ્નમાં તેના પિતાને આમંત્રણ આપ્યું ન હતું ત્યારે અણબનાવ અંગેની અટકળો વધુ તીવ્ર બની હતી. આગમાં બળતણ ઉમેરતા પ્રતીકે પોતાની અટક બદલીને ‘પ્રતીક સ્મિતા પાટીલ’ કરી નાખી છે, જેણે પોતાના પિતાનું નામ લેવાને બદલે પોતાની દિવંગત માતા, જાણીતી અભિનેત્રી સ્મિતા પાટિલનું નામ અપનાવ્યું છે.
નામ બદલવા પર પ્રતીક બબ્બર
ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં પ્રતીકે પોતાના નિર્ણયની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, “મને તેના પ્રત્યાઘાતોની પરવા નથી. જ્યારે હું તે નામ સાંભળું છું ત્યારે મને જે લાગે છે હું માત્ર તેની જ પરવાહ કરું છું. મારે મારી માતા (સ્મિતા પાટીલ)ના નામ અને તેના વારસાની સાથે પોતાને સાંકળેલી રાખવી છે. અને મને નથી લાગતું કે હું શું કહેવા માગું છું તે તમે સમજો. હું માત્ર પ્રયત્ન કરી રહ્યો છું કે હું મારા પિતા નહીં પણ માતા જેવો બનું. “
પ્રતીકના નિર્ણય પર આર્ય બબ્બરે આપી પ્રતિક્રિયા
પ્રતીકના સાવકા ભાઈ, અભિનેતા આર્ય બબ્બરે હવે આ વિવાદનો જવાબ આપ્યો છે. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતા આર્યાએ કહ્યું, “મારે એટલું જ કહેવું છે કે સ્મિતા મા અમારી માતા પણ છે. અને તે કયું નામ રાખવા માંગે છે અને કયું નહી તે તેની અંગત પસંદગી છે. “
આ અંગે વધુ જણાવતાં આર્યએ ઉમેર્યું હતું કે, “કલ કો મેં ઉથકે અપના નામ આર્ય બબ્બર સે આર્ય કરલું, યા રાજેશ કરલું. મેં તબ ભી બબ્બર હી રાહુંગા ના (આવતી કાલે, જો હું મારું નામ આર્ય બબ્બરમાંથી બદલીને માત્ર આર્ય અથવા તો રાજેશ પણ કરીશ, તો પણ હું બબ્બર જ રહીશ, ખરું ને?)
તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપ અપના નેમ ચેન્જ કર સકતે હો, વજૂદ નહીં (તમે તમારું નામ બદલી શકો છો, પરંતુ તમે તમારી ઓળખ બદલી શકતા નથી). રાહુંગા તો બબ્બર હી ના વજુદ મેરા કોન હી હૈ, આપ વો કૈસે ચેન્જ કર સકતે હો (હું બબ્બર જ રહીશ કારણ કે મારું અસ્તિત્વ તેમાં જ છે, તમે તેને કેવી રીતે બદલી શકો છો?).”
કૌટુંબિક ઝઘડો કે અંગત પસંદગી?
પ્રતીક બબ્બરના પિતાની અટક છોડીને તેની માતાની અટક લેવાના નિર્ણયથી ચાહકો અને ફિલ્મ બિરાદરોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો તેને સ્મિતા પાટિલને હાર્દિક શ્રદ્ધાંજલિ તરીકે જુએ છે, તો કેટલાક નું માનવું છે કે તે રાજ બબ્બર સાથેના આંતરિક વિખવાદને પ્રતિબિંબિત કરે છે.





