Saptak 2025@Ahmedabad: સપ્તકની અંતિમ રાત્રિએ નૃત્ય, સરોદવાદન અને ક્લાસિકલ ગાયન રજુ થયું સંગીતની અંતિમ રાત્રિએ સપ્તકના મંચ સ્ટેજ ઉપરથી સૌપ્રથમ વખત ભરતનાટ્યમ અને કૂચિપુડી નત્યો રજુ થયા. પછી સરોદવાદન અને ક્લાસિકલ ગાયનની સાથે અભંગવાણી રજુ કરી હતી.

સપ્તક સંગીત સમારોહની 13મી અને અંતિમ રાત્રિનો પ્રારંભ માતા પુત્રની કૂચિપુડી ભરતનાટ્યમ જુગલબંધીથી થયો. ડો.મલ્લિકા સારાભાઈ અને રંવેત સારાભાઈએ નવા જ પ્રયોગ અંતર્ગત સપ્તકના સ્ટેજ ઉપરથી ભરતનાટ્યમ અને કૂચિપુડી નૃત્યો રજુ કર્યા. આ સાથે જ 900 દિવસ પછી તેમણે બંન્નેએ સાથે પરફોર્મ કર્યું. 1100 વર્ષ જુનુ ભરતનાટ્યમ અને 16મી સદીથી શરૂ થયેલું કૂચિપુડી નૃત્ય એમ બંન્નેનો સમન્વય કર્યો. પછી રેવંતે પૌરાણિક સંદર્ભો અનુસાર શિવજીએ રૂષિ મુનિઓ સમક્ષ ચિદંમ્બર મંદિરમાં નૃત્ય કર્યું હતું તે મકરસંક્રાતિની પૂર્વ સંધ્યાએ હતી અને સપ્તકની 13મી રાત્રિ પણ તે ઉત્તરાયણની પૂર્વ સંધ્યા જ હતી. આ નૃત્ય પ્રસ્તુતિ પછી પાર્થો સારથીનું સરોદવાદન રજુ થયું. જ્યારે અંતિમ સેશનમાં શૌનક અભિષેકી અને મંજુષા પાટિલનું વોકલ અને અભંગવાણી રજુ કરી.
પ્રથમ સેશનમાં ડો.મલ્લિકા સારાભાઈ અને રંવેત સારાભાઈનું પરફોર્મન્સ
આ સેશનમાં નૃત્યાંગના અને દર્પણના ડો.મલ્લિકા સારાભાઈ અને રેવંત સારાભાઈનું કૂચિપુડૂ ભરતનાટ્યમ નૃત્ય પરફોર્મન્સથી થયો. આ પ્રસ્તુતિમાં સૌથી વધુ મહત્વની પ્રસ્તુતિ ડો.મલ્લિકા સારાભાઈએ કૂચિપુડી નૃત્યશૈલીમાં પગથી ગણેશજીનું ચિત્ર કર્યું તે રહી. પગની મૂવમેન્ટ દ્વારા તેમણે માત્ર 3 મીનીટમાં જ આ ચિત્ર કર્યું.
બીજા સેશનમાં પાર્થો સારથીનું સરોદવાદન અને ત્રીજામાં વોકલ અને અભંગવાણી રજુ થઈઃ
બીજા સેશનમાં પાર્થો સારથીનું સરોદવાદન રજુ થયું. જ્યારે અંતિમ સેશનમાં શૌનક અભિષેકી અને મંજુષા પાટિલનું વોકલ અને અભંગવાણી રજુ કરી. જ્યારે ત્રીજા અને અંતિમ સેશનમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક શૌનક અભિષેકી અને ગ્વાલિયર આગ્રા પરિવારની ગાયિકા મંજુષા પાટીલે ક્લાસિકલ વોકલ અને અભંગવાણીની પ્રસ્તુતિ કરી. શૌનકજી શાસ્ત્રીયગાયક જિતેન્દ્ર અભિષેકીના પુત્ર છે. તો મંજુષાએ વિકાસ કશાલકર અને પછી ઉલ્હાસ કશાળકર પાસેથી સંગીતની તાલિમ લે છે.





