આ વર્ષે દેવઉઠી એકાદશી 12 નવેમ્બરે મંગળવારે આવે છે. કારતક સુદ અગિયારસની માન્યતા પ્રમાણે આ તિથિએ ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી જાગે છે. ભગવાન વિષ્ણુ અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી કારતક મહિનાની દેવઊઠી એકાદશી સુધી ચાર મહિના શયન કરે છે. આ સમય દરમિયાન ભગવાન શિવ સૃષ્ટિને નિયંત્રિત કરે છે. આ દિવસે ભક્તોમાં તુલસી અને શાલિગ્રામનાં લગ્ન કરાવવાની પરંપરા છે. શાલિગ્રામન ભગવાન વિષ્ણુનું પ્રતીક છે. આક વાર્તા પ્રમાણે ભગવાન વિષ્ણુએ છળ કરીને દેવી તુલસીનું પતિવ્રત ભંગ કર્યું હતું, તે પછી તુલસીના પતિ શંખચૂડનો શિવજીએ વધ કરી દીધો હતો. ત્યારે આ વાત જાણીને તુલસીએ વિષ્ણુજીને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો હતો. ત્યારે વિષ્ણુજીએ આ શ્રાપ સ્વીકાર કર્યો અને તુલસીને પૂજનીય છે તેવું વરદાન આપ્યું હતું.આ તિથિએ તુલસી અને શાલિગ્રામના વિવાહ કરવામાં આવે છે.
જે ભક્તો આ વિવાહ નથી કરાવી શકતા તેઓ સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવી શકે છે. આ દિવસે તુલસીને કંકુ, ચાંદલો, લાલ બંગડીઓ, હાર અને ફૂલ પણ ચઢાવો.બીજા દિવસે વિવાહિત સ્ત્રીને દાન કરો.
‘ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર’નો જાપ કરો
ભક્તો આ દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની વિશેષ પૂજા કરે છે. આ પૂજામાં તુલસીના પાન સાથે સ્વિટ ચઢાવો. પૂજા વખતે ‘ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર’નો જાપ કરવો જોઈએ. દરેક ઘરમાં તુલસી ક્યારો રાખવાનો મહિમા છે તેનાથી વાસ્તુદોષ શાંત રહે છે. આયુર્વેદમાં પણ તુલસીનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓમાં કરવામાં આવે છે. તુલસીનાં પાનનું સેવન રોજ કરવાથી સ્વાસ્થ્યને લગતા અનેક લાભ મળે છે. રોજ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ધર્મલાભ થાય છે. દેવઉઠી એકાદશીએ સવારે તુલસી ક્યારાની આસપાસની જગ્યાને સાફ કરો. ત્યાર પછી સ્નાન કર્યા પછી તુલસીને જળ ચઢાવો. હળદર, કંકુ, દૂધ, ચોખા, ભોગ, ચૂંદડી વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો. તમે સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો અને પછી કપૂર પ્રગટાવીને આરતી કરી શકો છો. લોકો તુલસી સાથે જોડાયેલી આ વાતોનું પણ ધ્યાન રાખી શકો છો. સૂર્યાસ્ત પછી તુલસીના પાન ન તોડો.





